15/11/2016
👉👉👉મોદી સાહેબ કરન્સીનુ સર્જીકલ સ્ટ્રાઇકથી દેશ શું મેળવશે?
👉 અા દેશમાં અનેક કાયદાઓ અને નિયમો બને છે... તે કોના માટે..? માત્ર અને માત્ર નાના માણસો માટે...!
બાકી રાજકારણીઓ, ભ્રષ્ટાચારીઓ, ઉદ્યોગપતિઓ, કરોડપતિઓ, સેલીબ્રીટીઓ નિયમો અને કાયદાઓને ખીસ્સામાં લઇને ફરે છે.
👉 ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ મોરારજીભાઈએ રદ કરી હતી પણ તેનાથી કાળુધન અટક્યુ ખરૂ..? અા દેશના કરોડો રૂપિયા સરકારની નજર નીચે વિદેશ ચાલ્યા જાય છે...માલ્યા જેવા ભાગી જાય છે..પણ કશું કરી શકતા નથી... કેમ..? કાળાને સફેદ કરવાના કીમીયા બધાજ જાણે છે... તમારા ગમે તેવા પ્રયત્નો કરશો તો પણ.. અાવા લોકો તેમના રસ્તા કરી લેવાના... હેરાન થશે તો અામ નાગરીકો..
👉 મોદી સાહેબ જો તમે દેશ માટે કંઇ કરવા માંગતા હોય તો અાવું કંઇ કરો... અને જુઓ કેવો કરીશ્મા થાય છે...
👉અા દેશમાં ભ્રષ્ટાચારીઓ જમીનો દબાવીને બેઠા છે ખેતી કરતા નથી. જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવો...માત્ર ખેતી કરતા ખેડુત સિવાય ૫૦ એકરથી વધુ જમીન કોઇ રાખી ન શકે..
👉 લાખો એકર જમીન ભુમાફીયાઓ પાસે છે જેના પર ખેતી થતી નથી..ખેત ઉત્પાદન થતુ નથી. બહારથી ખેત પેદાશો મંગાવવી પડે છે.ખેતી લાયક જમીન પડી રહે અને તેના પર ઉત્પાદન ન લેવાતું હોય તેવી જમીનો પર એકરદીઠ પર મોટી પેનલ્ટી લેવાય
👉 મોટા શહેરોમાં લાખો મકાનો કાળાનાણા વાળાઓ રાખી લે છે. એક બાજુ ગરીબોને રહેવા મકાનો નથી અને લાખો મકાનો ખાલી પડી રહ્યા છે..કાયદો લાવો કોઇ પણ વ્યક્તિ વધુમાં વધુ બે કે ત્રણ મકાન જ રાખી શકે..
👉 બીન ઉત્પાદક કોમર્શીયલ મિલકતો પર ભારે પેનલ્ટી લેવાય અથવા સરકાર જપ્ત કરી લે..
👉વધુમાં વધુ લોકોને રોજગારી અાપે તેવા ઉદ્યોગોને જ માત્ર પ્રોત્સાહન અાપવામાં અાવે.
👉 કોઇ પણ વ્યક્તિ પોતાના પરીવાર ના સભ્યો હોય તેટલાજ વાહનો રાખી શકે.
👉 ઇન્કમ ટેક્ષ ભરતા હોય તેવા જ લોકો વાહન ખરીદી શકે અથવા રાખી શકે.
👉 અનામત બંધારણીય અધીકાર છે...દુર નથી કરવી પણ ઇન્કમટેક્ષ મર્યાદાથી ઓછી કે માત્ર ૨.૫૦ લાખ કરતાં ઓછી અાવકવાળાને અનામત નો લાભ મળી શકે..પછી તે એસસી, એસટી કે ઓબીસી હોય.. અા નિયમથી અનામતનો લાભ લઇને ખઇ બદેલા ક્યારેય અનામત માટે ઝંડા નઇ લે..
👉 લોકો સરકારી સ્કોલરશીપનો દુરઉપયોગ કરે છે ખોટા અાવકના પ્રમાણપત્રો રજુ કરી અલગ અલગ જગ્યાએથી નાણા મેળવે છે..અાખા દેશમાં એક કોમન પોલીસી અંતર્ગત સ્કોલરશીપ મળે ..અઢીલાખથી વધુ અાવક વાળાને અા લાભ ન અાપો..
👉 કુટુંબના મૂખ્ય સભ્યને સરકારી નોકરી મળી હોય તો બીજા ને ન મળે. અામ કરવાથી સરકારી નોકરીથી વંચીત લોકો ને ફાયદો થશે.
👉 સરકારિ અધીકારીઓની અાવક કરતાં વધુ મિલકત હોય તો કોઇ પણ પ્રકારના કેસ ચલાવ્યા વગર મિલકત જપ્ત કરો.
👉 અા દેશના અર્થતંત્ર પર અસર કરતુ પરીબળ હોય તો તે છે.. સોનું . કોઇ પણ વ્યક્તિ ૫૦૦ ગ્રામથી વધુ સોનુ રાખી ન શકે.. અામ કરવાથી પૈસો બજારમાં ફરતો થશે.
👉 ભગવાનને સોનાની જરૂર નથી.. અા દેશના મંદિરૌ , મસ્જીદો કે ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલું સોનું જપ્ત કરી લો...અને દેશના ખજાનામાં લો.. સોનું ચઢાવનારને ઇન્કમટેક્ષના સંકંજામાં લો.
👉 સંસદમાં વર્તમાન કાયદામાં સુધારો લાવી કડક કાયદો લાવો ગુનેગાર, ભ્રષ્ટાચારી કે સજા થયેલો ક્યારેય ચુંટણી ન લડી શકે
👉 કામચોર અને ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ ને શેહસરમ રાખ્યા વગર તગેડી મુકો.
👉 સેનામાં જોડાતા યુવાનો ને પ્રોત્સાહન અાપો... શહીદ પરીવારને નોકરી અાપો.
👉👉👉👉 મોદી સાહેબ અાવા કામ કરવા..જેવા. છે. ...... 👉👉👉👉અાટલુ કરો ..અમો અાજીવન વડાપ્રધાન પદે અાપને બેસાડી છુ...... ...........
વહલાદવલાની રાજનીતી થી પર રાષ્ટ્રહીત માટે અાટલુ કરો દેશનું ભલુ ભલુ થઇ જશે.
👉મારિ અાપોસ્ટ અાપને ગમી.. તો હિન્દી કે અંગ્રેજીમાં અનુવાદ કરી અન્ય મિત્રોને મોકલો.. જેથી દેશના ખુણેખુણે અા વાત પહોચે.
@ ભારતીય નાગરિક