15/07/2018
જડિયા નગરની પાવન ધરા, અને એ જ જડિયા ગામની એક પરંપરા છે, વર્ષો જુની પરંપરા અને એ પરંપરાને આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ ગામના હેતાળ લોકો જાળવી રાખી છે. એવું કહેવાય છે કે, ખેડુત આકાશ સામે મીટ માંડી બેઠો હોય, જેઠ પુરો થઈ ગયો હોય, અને અષાઠ મહીના બીજ હોય, તેમ છતાં વરસાદના કઈ વાવડ ના હોય, અને ત્યારે ગામ લોકો એકઠા થઈને ભગવાન ભોળેનાથના મંદિરથી લઈને માં પાર્વતીના મંદિર સુધી ઢોલના નાદ સાથે, ધ્વજા સાથે મેહુલીયાને એ મેઘરાજાને રીજવવાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે, અને ઈતિહાસ સાક્ષી પુરે છે સાહેબ, જ્યારે જ્યારે નગરના અઢારે વર્ણના લોકો ભેગા મળીને સાચી શ્રધ્ધાથી, મનના સાચા ભાવથી આ યાત્રામાં ભાગ લે છે ત્યારે આ જડિયા નગરની ધરતીને ભીંજવવા આવવું જ પડે છે.
આવી જ એક ઘટના ગઈ કાલે બની..
અષાઠ આવ્યો તોય જડિયાની ધરતી કોરીને કોરી રહી ગઈ, ગત વર્ષે ભયંકર પુર આવ્યુને ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ, આ વર્ષે ખેડુત આકાશમાં ચાતક નજરે મીટ માંડીને વરસાદના વધામણાની રાહ જોઈને બેઠા હતા, ડર હતો કે કચાદ વરસાદના ના આવ્યો તો પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે, પણ આ તો જડિયા નગરની વાત, જ્યા માં ભગવતિ પાર્વતિમાંના બેહણા હોય... લોય વાયકામાં શ્રધ્ધા હતી, વિશ્વાસ હતો... ખુબ સુંદર રીતે રથયાત્રાનું આયોજન થયુ. એમાં અબાલ-વૃધ્ધ માતાઓ-બહેનો અંતરના ભાવથી સાચી શ્રધ્ધાથી સૌ જોડાયા, મન મુકીને નૃત્ય કર્યા....અને..........અને.....મેઘો મહેરબાન થયો ભાઈ......ભાઈ......
હવે આ જગ્યા ઢોલની જ્યાએ ડી.જે. લીઘી છે, તેમ છતાં ઠોલ તો જોઈએ જ... આપણી આ વર્ષોથી ચાલી આવતી પરંપરા, આપણી આ સંસ્કૃતિને જાળવવી એ આપણી સૌની ફરજ છે...
જય જગન્નાથ...
લિ.-✍🏻આપનો પ્રવિણ ચૌધરી (ગુરૂકૃપા) Pravin Chaudhary -
વડિલોના મોઢે સાંભળેલી વાતો માંથી મારી સમજ મુજબનુ રૂપાંતર....