15/09/2022
ઉવારસદ વાવ શૈક્ષણિક હેતુથી ખુલ્લી મુકાઈ અને સાથે જ અહીં અતુલ્ય વારસો દ્વારા સ્ટેપવેલ સંગ્રહાલયની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તા. ૧૪/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીનગર ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, સેકટર ૧૫, ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ દ્વારા ઉવારસદ વાવની મુલાકાત લીધી હતી અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને વાવ સ્થાપત્ય પર સંશોધન કરનાર શ્રી કપિલ ઠાકર દ્વારા વાવ એટલે શું? વાવના પ્રકાર વિશે, પાણીના સ્થાપત્યો વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આપણા ગુજરાતમાં વાવ સ્થાપત્ય અને તેની રચના ખૂબ જ વિશેષ જોવા મળે છે.