03/12/2020
વિષય: આંગણે વાવો શાકભાજી નો વિનામુલ્યે સેમિનાર
આપણે તંદુરસ્ત રહેવા માટે દરરોજ ૨૫૦ ગ્રામ લીલા શાકભાજી અને ૫૦ ગ્રામ કઠોળ ખાવું જોઈએ.
શાકભાજી એ દરરોજ ની જરૂરિયાત છે, આપણે બજાર માંથી કેમિકલ વાળી અને વાસી શાકભાજી લઈએ છીએ, આપણાં આંગણા માં કે કુંડા માં થોડી મેહનત કરવાથી શાકભાજી વાવી તાજા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ.
સેમિનાર માં વિવિધ જાત ની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવસે જેવી કે
• કુંડા નું કદ
• માટી નો પ્રકાર
• શાકભાજી ના બિયારણ
• શાકભાજી ના રોપા
• વેલા વાળા શાકભાજી ની જાતો
• કુંડા માં વાવી શકાતા ફૂલછોડ અને વેલાઓ
• ફૂલછોડ અને શાકભાજી માં થતાં રોગો અને તેની કાળજી
• દેસી ખાતર, જીવામૃત
વગેરે માહિતી નિષ્ણાંતો દ્વારા સ્થળ પર આપવામાં આવસે.
દરેક ફળિયા માં કે અગાસી માંથી દર મહિને ૧૦૦૦ રૂ નું શાક જો ઉગાડી શકીએ તો આપણાં સમય નો સદઉપયોગ પણ થાય અને તાજા ઓર્ગેનિક શાકભાજી પણ મળે.
આંગણા માં ફૂલછોડ અને શાકભાજી કેવી રીતે ઉછેરી શકાઈ તેની જાણકારી માં રસ ધરાવતા લોકો ને પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.
ખાસ નોંધ : સોસીયલ ડિસટન્સ નું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત પહેરીએ.
સ્થળ :
એવરગ્રીન ગાર્ડન નર્સરી, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨, અટલ તળાવ સામે ,રાજકોટ
તારીખ: ૦૬/૧૨/૨૦૨૦
સમય : બોપોરે ૩ થી ૫
વી.ડી.બાલા,
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ
મો. ૯૪૨૭૫૬૩૮૯૮